________________
નિવેદન
રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજનાનો ઉદ્દેશ્ય ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા તેમજ પ્રાચીન ઐતિહાસિક તથ્યોના સંસ્કારો સમાજમાં પ્રસારિત કરવાનો છે.
આ હેતુને પૂર્ણ કરવા સાહિત્ય પ્રકાશન, જ્ઞાન સત્રની પ્રવૃત્તિઓ તેમજ તેને અનુરૂપ પરિસંવાદ વગેરે કાર્યક્રમો રજુ થાય તેવી અમારી યોજના છે.
આ પ્રવૃત્તિઓના પ્રથમ પુષ્પ રૂપે ‘‘સરસ્વતીની ગરિમા’’ વિષય ઉપર ગજાનન દવેની કલમે લખાએલું પુસ્તક પ્રસિદ્ધ દવેજી પરિવાર તેમજ પંડ્યા શંકરલાલ કેશવલાલના સ્વર્ગ. પરિવારજનોની પુણ્યસ્મૃતિરૂપે છપાવી પ્રસિદ્ધ કરાવવાનો અમોને સહકાર મળેલ છે.
આ પુસ્તકની વેચાણ કિંમત આ સંસ્થાની સંપત્તિ-નિધિ રહેશે. આપ આપના શુભ પ્રસંગોમાં આપના આત્મીય જનોને ભેટ આપવા આ પુસ્તકોને ખરીદી સહકાર આપશો. તેમાં સિદ્ધપુર અને સરસ્વતીની ગરિમાને ઉજ્વલિત કરવાનું શ્રેય પણ આપના હાથે સચવાશે.
જ્ઞાનસત્ર, પ્રકાશન અને અન્ય પ્રવૃત્તિયો આ પ્રમાણે નામાભિધાન સાથે યોજવાની પણ ઉમ્મીદ અમારી પ્રવૃત્તિયોમાં છે.
આપનો સહકાર એજ આ ઉદ્દેશ્યનો પ્રસાર છે.
આ અમારું પ્રથમ સાહિત્ય-પુષ્પ રજુ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ.
રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજના બ્રાહ્મણીયા પોળ, અંબાવાડી નાકે, સિદ્ધપુર-(૩૮૪૧૫૧)
બચુભાઈ રા. દવેના વંદન
સંકલન-પ્રમુખ
રાષ્ટ્રીય ઇતિહાસ ઉજાગર યોજના
સિદ્ધપુર. (ઉ.ગુ.)