Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 151
________________ પરંતુ એક ફરજરૂપે ભાન કરાવતું આ સૃષ્ટિનું માહાભ્ય હિન્દુ જીવનદર્શનમાં પ્રસ્થાપિત અનેક સૃષ્ટિઓ પ્રત્યેના આદરભાવવાળા ઉત્કૃષ્ટ માનસને પ્રદર્શિત કરે છે. પ્રાર્થના મંત્રમાં ગવાયું છે કે, "मूलतो ब्रह्मरुपाय मध्यतो विष्णुरूपिणे अग्रत: शिवरुपाय अश्वत्थाय नमोनमः ॥" આ પ્રાર્થના મંત્રનો અર્થ એવો થાય છે કે વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં રૂદ્ર રહેલા છે. આ ત્રણે દેવોની કાર્ય-શક્તિઓ વૃક્ષમાં અદશ્યરૂપે સચવાઈ વૃક્ષના જીવનક્રમને વિકસાવે છે. અશ્વત્થ વૃક્ષનું નામ પાડી ગવાયેલી આ પ્રાર્થના હકીકતમાં તો નાના-મોટા સર્વ વૃક્ષ સમુદાયને સમાનપણે લાગુ પડે છે. વૃક્ષોના આ માહાભ્યને કારણે જીવનના અનેક પ્રસંગોમાં વૃક્ષોને પ્રાધાન્ય આપતા વિધિ-વિધાન હિન્દુ જીવન-દર્શનમાં સ્વીકારાયેલાં છે. હવે આ દેવોની કાર્યશક્તિઓની વૃક્ષ પર થતી અસરોનું વિશ્લેષણ કરીએ. સૌ જાણે છે કે વૃક્ષનું સર્જન મૂળ મારફતે જ થાય છે. સંસ્કૃતમાં કહેવત છે કે, “નાતિમૂનો તોશાવા’ વૃક્ષનું સર્જક પરિબળ તેના મૂળમાં જ સંગ્રહાયેલું છે. મૂળ આદાન ક્રિયાનું કામ કરે છે. આ ક્રિયા વિના ઉત્પત્તિ સંભવિત જ નથી. ઉત્પન્ન કરવાનું કાર્ય મૂળ પર નિર્ભર હોઈ તેના મૂળમાં બ્રહ્મા રહેલા છે એવો નિર્દેષ છે. જો બ્રહ્માની સર્જક શક્તિ મૂળમાં ન રહેલી હોય તો વૃક્ષની ઉત્પત્તિ અને સ્થિતિ સંભવે જ કેવી રીતે ? મૂળની આ શક્તિના સંદર્ભમાં જ કહેવાયું છે કે “મૂલતો ब्रह्मरुपाय' મૂળ પછીનો વૃક્ષનો મધ્યભાગ થડ છે. વૃક્ષને ઉપયોગી તમામ જીવનરસો વૃક્ષની ટોચ સુધી પ્રસરાવી તેને પોષણ દ્વારા જીવતદાન આપવાનું કામ આ મધ્ય ભાગ જ કરે છે. સમગ્ર વૃક્ષના ચૈતન્યને ટકાવી રાખવાનું, તેના અસ્તિત્વને બલવત્તર બનાવવાનું તેમજ વિકાસની તકો પ્રદાન કરવાનું સામર્થ્ય પોષણકાર્ય વિના સિદ્ધ ન થઈ શકે. વૃક્ષની સમસ્ત સંપત્તિનો આધાર સ્તંભ આ ભાગ પર અવલંબતો હોઈ આ મધ્ય ભાગની કામગીરી ધ્યાનમાં રાખી કહેવાયું છે કે “મધ્યતો વિપિને' હવે વૃક્ષના અંતિમ એવા અગ્રભાગની કામગીરીનું અવલોકન કરીયે. આ અગ્રભાગમાં શિવના અંગમાંથી સર્જાયેલી રુદ્રની સંહારક શક્તિ પણ પોતાની જવાબદારી એટલી જ સક્રિયતાપૂર્વક અદા કરે છે. આ અગ્રભાગમાં આવેલા પાંદડા, પુષ્પો અને ફળો તેના યથોચિત કાળે ખરી ખરીને નાશ પામતાં જ હોય છે. વૃક્ષના અગ્રભાગમાં વ્યાપ્ત આ સંહારક શક્તિ જ વૃક્ષની ચૈતન્યક્ષમતા અને સર્જકક્ષમતા ના કાર્યને મદદરૂપ થઈ પડે છે. આ વિસર્ગ બળને આધારે વૃક્ષ નવયૌવન અને નવસર્જનની ક્ષમતા સિદ્ધ કરી શકે છે. પુષ્પો, પાંદડા અને ફળો જો આ સંહારક શક્તિના યોગે વૃક્ષથી વિખુટા પડી નાશ ન પામતાં હોય તો તેના નવયૌવન અને ૯૪

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204