Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 8
________________ સામાચારી-પ્રસ્તાવના (૨૩) ન હિ વતં વૈયાવૃમિસિદ્ધવે વિત્ત્તાજ્ઞાપૂર્વમ્ । ગાથા - ૬૮ માત્ર વૈયાવચ્ચ એ નિર્જરાદિને સાધી ન શકે, પણ જિનાજ્ઞા પ્રમાણે કરાયેલ વૈયાવચ્ચ જ ઈષ્ટસિદ્ધિ કરી આપે. (૨૪) જ્ઞાનાવાશે દિ ચારિત્રિનાં ચારિત્રાચારવિરોઘેનૈવ શ્રેયાન, અન્યથા પુનરનાધાર વ્ । ગાથા - ૭૫ સંયમીઓને તો ચારિત્રાચારને વિરોધ ન આવે એ રીતે જ્ઞાનાચારનું સેવન કલ્યાણકારી છે. ચારિત્રાચારને વિરોધી બનનાર જ્ઞાનાચાર (વાડામાં ઠલ્લે થઈ વધુ સ્વાધ્યાય વગેરે) એ અનાચાર બને છે. (૨૫) શિિનવૃત્તનું વિના યતમાન વ દિ યતિરુજ્યંતે, ગતઃ શિિનયૂહને યતિત્વશુદ્ધિતૢાપાÅવ । ગાથા - ૭૮ પોતાની શક્તિને ગોપવ્યા વિના સંયમયોગોમાં યત્ન કરનાર સાધુ જ યતિ=સાધુ કહેવાય. માટે શક્તિગોપન કરનારામાં સાધુતાની શુદ્ધિ શક્ય નથી. (૨૬) યો હિ યત્રાધિારી, મૈં તમેવાર્થ સાધયન્ વિવેી વ્યદ્દિશ્યતે। ગાથા - ૭૯ જે આત્મા જે યોગમાં અધિકા૨ી હોય, તે આત્મા તે જ યોગને સાધતો હોય તો વિવેકી ગણાય. (૨૭) ચારિત્રહીનસ્થાપિ તળુળસ્થાપવાતો વન્ધત્વમ્ । ગાથા - ૮૭ ચારિત્રહીન સાધુ પણ વિશિષ્ટજ્ઞાનવાળો હોય, તો એની પાસે એ જ્ઞાન મેળવવા માટે અને અપવાદ માર્ગે વંદન કરાય. (२८) विशुद्धयतिलिङ्गस्य सुविहितस्यैव टङ्कसहितरूप्यस्थानीयस्य वन्दने उभयनयाश्रयणसंभवादन्यतराश्र ચળેન્તરવિરાધનાપ્રસઙ્ગઃ । ગાથા - ૯૧ સાધુવેષ યુક્ત એવા સર્વવિરતિના પરિણામવાળા આત્માને વંદન કરીએ તો જ નિશ્ચય અને વ્યવહાર બે ય નયોનું પાલન કરેલું ગણાય. જો સાચા વિરતિ પરિણામ વિનાના માત્ર વેષધારીને વંદન કરીએ તો નિશ્ચયનયની વિરાધના થાય અને જો વેષ વિનાના છતાં વિરતિપરિણામવાળાને વંદન કરીએ તો વ્યવહારની વિરાધના થાય. (२) यत्काले व्यवहारप्रतिबद्धं कार्यमनुज्ञातं, तत्काले तदेव कर्तव्यम् । यत्काले तु निश्चयप्रतिबद्धं तदापि तदेव, ન વેમાત્રપક્ષપાતિતયા વિપર્યાસ: જાર્ય કૃતિ પરમાર્થઃ । ગાથા - ૯૨ જે કાળે વ્યવહારનયને અનુસારે કાર્ય કરવાની આજ્ઞા હોય તે કાળે તે જ કાર્ય કરવું. જે કાળે નિશ્ચયને અનુસારે કાર્ય કરવાની આજ્ઞા હોય તે કાળે નિશ્ચયને અનુસારે કામ કરવું. બેમાંથી એકપણ નયમાં પક્ષપાત કરીને ઉંધું આચરણ ન કરવું, એ પરમાર્થ છે. (૩૦) ક્ષળપિ મુનીનામવત્તાવપ્રહસ્ય પરિમો: ન પતે, તૃતીયવ્રતાતિમપ્રસŞાત્ । ગાથા - ૯૭ બીજાએ જે ક્ષેત્રમાં ઉભા-બેસવાદિ માટેની ૨જા ન આપી હોય તે ક્ષેત્રમાં એક પળ પણ ઉભા રહેવું-બેસવું એ સાધુઓને ન કલ્પે. એમાં ત્રીજા મહાવ્રતનું ઉલ્લંઘન થાય છે. (૩૧) “મિત ત્ર સારં ચ વત્રો હિ વાગ્મિતા' ગાથા - ૧૦૧ સાચો વક્તા એ જ છે કે જે ઓછા અને સારભૂત વચનો બોલે છે. (૩૨) અથમેવૈજાન્ત: યત્ રા દ્વેષપરિક્ષયાનુત્યેનૈવ પ્રવૃતિતત્ત્વમ્ । ગાથા - ૧૦૧ જિનશાસનમાં આ જ એકાંત છે કે રાગ અને દ્વેષનો નાશ થાય એ જ રીતે પ્રવૃત્તિ કરવી (૩૩) સર્વસ્થાપિ પ્રથપ્રપશ્ચર્યંતનુદ્દેશેનવ પ્રવૃત્તઃ । ગાથા - ૧૦૦ સેંકડો, હજારો, લાખો ગ્રન્થોની રચના રાગદ્વેષનો ક્ષય કરવા માટે જ કરાયેલી છે. (૩૪) માવર્તુળનપ્રવૃત્તાવાન્તાલિમૈહિ ખુલ્લું ધ્રુવપ્રાપ્તિમ્ । ગાથા - ૧૦૧ પરમાત્માના ગુણો ગાનારાઓ મોક્ષ ન મળે ત્યાં સુધી ઐહિક સુખો તો અવશ્ય પામે જ. આ ૩૪ રત્નો જ તમને બતાવ્યા. એ એક-એક રત્નોની કિંમત કેટલી ? એ તો આ ગ્રંથ ભણશો ત્યારે જ સમજાશે. સામાચારી પ્રકરણ - પ્રસ્તાવના ૦૩

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 286