________________
મુંબઈમાં રહેવા ગયા ત્યારે આ કાર્ય જુદી જુદી વ્યક્તિઓને સોંપવામાં કંઈક સમય ગયો. મારી અસ્વસ્થ તબિયતનું પણ કારણ હતું. એટલે એ કાર્યને સહેજે ત્રણ-ચાર વર્ષ વીતી ગયાં.
છેવટે આ પુસ્તકને માટે ચગ્ય સહકારીએ મળ્યા એ જ મારા માટે આનંદને વિષય છે. શ્રી રતિલાલભાઈ દેસાઈ એ આ પુસ્તકની (અનુક્રમણિકાઓ) તૈયાર કરી, શ્રી કાંતિલાલ દેસાઈએ આ ગ્રંથનું કુફ રીડીંગ કર્યું અને ૫૦ શ્રી અંબાલાલભાઈએ હાલમાં જ મારા રાધનપુરના ઐતિહાસિક પરિચયની સામગ્રીને વ્યવસ્થિત કરી આપી છે તે બદલ એ સોને ધન્યવાદ આપું છું.
મારી અશકત અને નરમ તબિયતમાં દરેક પ્રસંગે ખડેપગે રહી સેવા કરનાર શ્રી અનંતરાયભાઈ, શ્રી અભેચંદભાઈ અને મારા લઘુ ગુરુબંધુ શ્રી જયાનંદવિજયજી મહારાજ, જેમની પ્રેરણાથી આ સાહિત્યિક કાર્ય કરી શક્યો અને કરી શકું છું. એ સૌને ધન્યવાદ આપું છું.
અંતે શ્રી. વખારિયા અને આ પુસ્તકમાં સહાય કરનારાઓને પણ ધન્યવાદ આપું છું.
શ્રીગોડીજી જૈન ઉપાશ્રય ] શાશ્વતા ચૌમુખ દેરાસર શિલારોપણ દિન સં. ૨૦૧૬ શ્રાવણ વદિ બીજ સોમવાર
ભાવનગર તા. ૮-૮-૬૦
ધર્મજયંત પાસક મુનિ વિશાળવિજય
"Aho Shrut Gyanam"