Book Title: Punarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Author(s): Lakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
Publisher: Sanatan Dharm Pravartak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ તેઓની મોટી ભૂલ છે તે અત્યંત શોચનીય છે, અને ન્યાયથી વિરૂદ્ધ છે. વળી ઘર, ક્ષેત્ર કે ગાય વગેરે વસ્તુનું દાન લીધા પછી તે વસ્તુને પ્રતિગ્રહકાર બીજાને દાન આપી શકે છે પણ કન્યાનું દાન લેનાર તે કન્યાનું બીજાને દાન કરી શક્યું નથી, એ અધર્મ છે એમ શાસ્ત્રકાર યાજ્ઞવલ્કય કહે છે. સત રીતે ચરિતાં ચોકમાણા મા.ધાફિ. . દા ! કન્યાનું દાન એકજ વખત થાય છે તેનું હરણ કરનાર ચોરનાર દંડને પાત્ર છે. મને ભગવાન પણ અધ્યાય ૯ ના ક ૭ માં કહે છે કે મારી સાજા કન્યાનું એકજ વખત દાન કરાય છે. માટે કન્યાનું દાન લેનાર તેને પતિ પણ તેનું ફરીથી દાન કરી શકતો નથી અને કન્યા તે દાન વસ્તુ હોવાથી પોતાની જાતે બીજાને પરણી શકતી નથી એટલું જ નહિ પણ ભગવાન મનુ નવમા અધ્યાયના શ્લેક ૪૬ માં કહે છે કે ન નિવિન મર્તर्भार्या विमुच्यते । एवं धर्म विजानीमः प्रजापतिविनिर्मितम् ॥ વેચવાથી તથા કાઢી મુકવાથી સ્ત્રી પોતાના પતિથી છુટી થઈ શકતી નથી (પણ તેની જ સ્ત્રી રહે છે અને બીજે પરણી શકતી નથી) એમ બ્રહ્માએ નિર્માણ કરેલા ધર્મને અમે જાણીએ છીએ. આ વચન અને યાજ્ઞવલ્યના વચનથી એ પણ સિદ્ધ થાય છે કે કોઈ હિંદુ સ્ત્રી કે જેનો વિવાહ હિંદુ શાસ્ત્ર પ્રમાણે થયો છે તે પોતે પોતાની જાતથી, પિતાના પિતાની આજ્ઞાથી કે પતિના કાઢી મુકવાથી કે કોઈ જોર જુલમથી તેને વટલાવે કે પરણે તો પણ તે પોતાના પૂર્વના પતિની સ્ત્રી મટી શકતી નથી. હાલમાં કેટલાએક જુલમી અને ધમષી પુરૂષો હિંદ સ્ત્રીઓને વટલાવીને પરણ્યા છે તે દીલગીરી ભર્યું અને અન્યાય યુક્ત થયું છે. પણ માત્ર ભાવનગરના ન્યાય રાજ્યમાં તેવા દુષ્ટોને શિક્ષાએ પહોંચાડ્યા છે, એ દાખલ નોંધવા જેવો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116