________________
ગુરુનું પરલોકસંબંધી પ્રયોજન– પરોપકાર દ્વારા કર્મક્ષયથી મોક્ષ. શિષ્યનું આ લોકસંબંધી પ્રયોજન– પોતાની પ્રશમરતિમાં સ્થિરતા થાય. શિષ્યનું પરલોકસંબંધી પ્રયોજન–પ્રશમરતિમાં સ્થિરતા દ્વારા મોક્ષની પ્રાપ્તિ.) વચ્ચે(=કહીશ) એ પદથી પ્રતિજ્ઞા જણાવી છે.
નિનશાસનાત્(=સર્વજ્ઞ પ્રણીત આગમમાંથી) એ પદથી ગુરુપર્વક્રમ રૂપ સંબંધ કહ્યો છે.
[ગુરુપર્વક્રમ એટલે ગુરુઓ રૂપ પર્વોનો (સંધિ-સ્થળોનો=જોડવાના સ્થાનોનો) ક્રમ=પરંપરા. જેમ લાકડીમાં રહેલાં પર્વો (સંધિ કે ગાંઠો)નો ક્રમ પછી પછીના ભાગની સાથે જોડી આપે છે અને એ રીતે મૂળની સાથે સંબંધ કરાવી આપે છે, તેમ અહીં ગુરુઓ આપણને પછી પછીના ગુરુઓની સાથે જોડી આપીને મુખ્ય એવા તીર્થંકરની સાથે સંબંધ કરાવી આપે છે. જેમ કે શ્રીમહાવીરપ્રભુ પછી શ્રીસુધર્માસ્વામી થયા. શ્રીસુધર્માસ્વામી પછી શ્રીજંબુસ્વામી થયા. શ્રીજંબુસ્વામી પછી શ્રીપ્રભવસ્વામી થયા. અહીં શ્રીપ્રભવસ્વામીને શ્રીમહાવીરસ્વામીની સાથે સીધો સંબંધ નથી, કિંતુ પરંપરાએ સંબંધ છે. શ્રીપ્રભવસ્વામીને સીધો સંબંધ શ્રીજંબૂસ્વામીની સાથે છે. શ્રીજંબુસ્વામીને સીધો સંબંધ શ્રીસુધર્માસ્વામી સાથે છે. શ્રીસુધર્માસ્વામીને સીધો સંબંધ શ્રીમહાવીરસ્વામીની સાથે છે. આ રીતે ક્રમથી શ્રીપ્રભવસ્વામીનો પણ શ્રીમહાવીરસ્વામીની સાથે સંબંધ થયો. તે રીતે પ્રસ્તુતમાં ગ્રંથકર્તાનો ગુરુપર્વક્રમથી શ્રીમહાવીરસ્વામીની સાથે સંબંધ થાય છે.
આમ ગ્રંથકર્તાનો શ્રીમહાવીરસ્વામીની સાથે સંબંધ થવાથી ગ્રંથકર્તા પ્રામાણિક છે એ સિદ્ધ થાય છે. ગ્રંથકર્તા પ્રામાણિક છે એ સિદ્ધ કરવા ગુરુપર્વક્રમ સંબંધની જરૂર રહે છે.]
અથવા આધાર-આધેય રૂપ સંબંધ કહ્યો છે. તેમાં જિનશાસન (=સર્વશ પ્રણીત આગમ) આધાર છે અને પ્રશમતિ આધેય છે.
(આધાર એટલે આશ્રય. આધેય એટલે સ્થાપન ક૨વા યોગ્ય વસ્તુ.) વિષ્રિર્ (અલ્પ=પ્રશમરતિ પ્રકરણ) એ પદથી અભિધેયનું (=આ ગ્રંથમાં શું કહેવાનું છે તેનું) સૂચન કર્યું છે.
પ્રશમરતિ - પ