Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 9
________________ દુ:ખની ઉત્પત્તિ થતી ન હોવાથી તેમનામાં પર દુ:ખધ્વંસ છે. ન્યાયની પરિભાષામાં દુ:ખધ્વંસના પરત્વનું વર્ણન કરતી વખતે વર્ધમાન ઉપાધ્યાયે પ્રકાશટીકામાં જણાવ્યું છે કે ‘સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ (પોતાના કાલમાં રહેનાર અને પોતાના અધિકરણમાં રહેનાર) જે દુ:ખપ્રાગભાવ છે તેના અસમાન દેશમાં રહેનાર દુ:ખધ્વંસને પરદુ:ખöસ કહેવાય છે. અર્થાત્ દુ:ખધ્વંસમાં તાદશ(સ્વસમાનકાલીન સ્વસમાનાધિકરણ દુ:ખપ્રાગભાવ)અસમાન દેશસ્વસ્વરૂપ પરત્વ છે. જેમ જેમ દુ:ખ ભોગવાતું જાય તેમ તેમ દુ:ખનો ધ્વંસ થતો જાય છે. એ વખતે ભવિષ્યમાં આવનારા દુ:ખનો પ્રાગભાવ પણ હોય છે. આપણા સૌના આત્મામાં આવો દુ:ખધ્વંસ અને દુ:ખપ્રાગભાવ બંન્ને હોય છે. તેથી તે દુ: ખધ્વંસ સ્વ(દુ:ખધ્વંસ)સમાનકાલીન અને સ્વસમાનાધિકરણ એવા દુ:ખપ્રાગભાવનો સમાનદેશીય છે. મુક્તાત્માઓના આત્મામાં રહેલો દુ:ખધ્વંસ, તેઓશ્રીના આત્મામાં દુ:ખની ઉત્પત્તિ થવાની ન હોવાથી તાદશ દુ:ખપ્રાગભાવનો અસમાનદેશીય છે તેથી મુક્તાત્માઓનો દુ:ખÜસ પર છે. માત્ર સ્વસમાનકાલીનદુ:ખપ્રાગભાવાસમાનદેશીય દુ:ખધ્વંસને પરદુઃ ખધ્વંસ કહેવામાં આવે અર્થાત્ દુઃખપ્રાગભાવનું સ્વસમાનાધિકરણત્વ વિશેષણ આપવામાં ન આવે તો ચૈત્રાદિના આત્મામાં રહેલા દુ:ખધ્વંસના સમાન કાલમાં તો મૈત્રાદિમાં રહેલો દુ:ખપ્રાગભાવ પણ છે. તેથીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66