________________
તો તેના માટે કોઈની પણ પ્રવૃત્તિ નહિ થાય : એ જ નૈયાયિકોની માન્યતામાં દૂષણ છે... ઈત્યાદિ સ્પષ્ટ છે.
||૩૧-૨૬।।
નૈયાયિકોની જ બીજી માન્યતાનું પણ નિરાકરણ થઈ ગયાનું જણાવાય છે
एतेनैतदपास्तं हि पुमर्थत्वेऽप्रयोजकम् ।
,
તજ્ઞાન ૩:વનાશશ્ન, વર્તમાનોઽનુભૂવતે ॥૩૨-૨ા
“આથી ચોક્કસપણે આનું નિરાકરણ થાય છે કેપુરુષાર્થત્વને વિશે પુમર્થનું જ્ઞાન પ્રયોજક નથી અને વર્તમાન દુ:ખનાશ અનુભવાય છે.''... આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. એનો કહેવાનો આશય એ છે કે દુ:ખાભાવસ્વરૂપ મોક્ષને માનવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબ ગુણહાનિના પ્રસના કારણે તેમાં પુરુષાર્થત્વ નહિ આવે. તેના જવાબમાં મહાનૈયાયિક ગઙેશોપાધ્યાયે જણાવ્યું છે કે ‘“દુ:ખાભાવની પુરુષાર્થતા માટે તે પુરુષાર્થના જ્ઞાનની આવશ્યકતા નથી. વર્તમાન એવો દુ:ખાભાવ, વિનાશ પામતા એવા યોગિસાક્ષાત્કારથી અનુભવનો વિષય બની જાય છે. તેથી દુ:ખાભાવમાં પૂર્વે જણાવ્યા મુજબ સ્વસમાનાધિકરણ સ્વસમાનકાલીન સાક્ષાત્કારવિષયત્વ હોવાથી તેમાં પુરુષાર્થત્વ પણ રહે છે.'’-આ મહાનૈયાયિકનું
૫૦