________________
સાધુઓએ એ કાર્ય ખૂબ જ સરળતાથી પરિપૂર્ણ કર્યું છે. તેઓશ્રીએ એ રીતેં કરેલી મોક્ષની મીમાંસા અમારા પરમાનંદનું કારણ છે એ પ્રમાણે ગ્રંથકારપરમર્ષિ ફરમાવે છે. પરમપદની ઉત્કટ ઈછા પરમાનંદની ચર્ચાથી પરમાનંદનું કારણ બને : એ સમજી શકાય છે. અને ગ્રંથકારશ્રીના જણાવ્યા મુજબ શ્વેતાંબર સાધુમહાત્માઓ દ્વારા કરાયેલી મોક્ષના સ્વરૂપની મીમાંસાથી આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા.
|૩૧-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां मुक्तिद्वात्रिंशिका ।।
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ।।