Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ મોક્ષમાં સુખ માનવાથી શ્રુતિ-ઉપનિષો વિરોધ આવે છે તેથી મુકિતમાં સુખ માનવામાં આવતું નથી, આવી નૈયાયિકની માન્યતાનું નિરાકરણ કરાય છે अशरीरं वाव सन्तमित्यादिश्रुतित: पुनः । सिद्धो हन्त्युभयाभावो, नैकसत्तां यतः स्मृतम् ॥३१-२९॥ ‘શરીરં વ...ઈત્યાદિ શ્રુતિથી સિદ્ધ થયેલા ઉભયાભાવથી એકની સત્તાનો નિષેધ થતો નથી. જેથી કહેવાયું છે... (જે હવે પછી જણાવાશે).'-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે “મારી વાવ સન્ત પ્રિયપ્રિ ર સ્પૃશતઃ' અર્થા હે મૈત્રેયી ! શરીરથી રહિત એવા મિથ્યાવાસનાથી શૂન્ય આત્માને પ્રિય અને અપ્રિય સ્પર્શતા નથી.'-આ શ્રુતિથી સુખદુ:ખ ઉભયનો અભાવ સિદ્ધ થાય છે. એ ઉભયાભાવ એકની અર્થાત્ સુખની સત્તાને દૂર કરતો નથી. કારણ કે એકવમાં પણ દ્વિત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવની અર્થા બેના અભાવની પ્રતીતિ થાય છે. “પ્રિયપ્રિયે પૃશત: અહીં ખરી રીતે પ્રિયનો અભાવ અને અપ્રિયનો અભાવ સિદ્ધ થાય છે. અર્થા બે અભાવની સિદ્ધિમાં તાત્પર્ય છે. પ્રિય અને અપ્રિય : આ બંન્નેનો(ઉભયનો) એક અભાવ સિદ્ધ કરવાનું તાત્પર્ય નથી.”-આ પ્રમાણે કહેવામાં આવે તો, પ્રિયપ્રિલે કૃશત: અહીં “અપ્રિય’ , ET, GS , ,

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66