________________
आत्मकालान्यवृत्तिध्वंसप्रतियोगिन्यवृत्तिमद् दुःखत्वम्; दुःखप्रागभावानाधारवृत्तिध्वंसप्रतियोगिवृत्तिमत्, सत्कार्यमात्रવૃત્તિત્વ-આ અનુમાનમાં “દષ્ટાંત દીપત્વ છે-આ પ્રમાણે તાર્કિકો-નૈયાયિકો કહે છે, તે અસત છે. કારણ કે સાધ્યઘટક વૃત્તિતાવિશેષનો નિવેશ જ ઈષ્ટ હોય તો બાધ આવે છે અને વૃત્તિતા સામાન્યનો નિવેશ ઈષ્ટ હોય તો અર્થાતર દોષ આવે છે.''-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્ય અર્થ છે.
એનો આશય સ્પષ્ટ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કેજ્યાં જ્યાં સત્કાર્યમાત્રવૃત્તિત્વ છે ત્યાં ત્યાં દુઃખપ્રાગભાવના અનાધારમાં વૃત્તિ એવા ધ્વસના પ્રતિયોગિનિરૂપિત વૃત્તિત્વ છે. દા.ત. દીપ–. સત્કાર્યદીપકનિરૂપિત વૃત્તિત્વ (સત્કાર્યમાત્રદીપકનિષ્ઠાધિકરણતા-નિરૂપિત વૃત્તિત્વ) દીપત્વમાં છે અને ત્યાં દુ: ખપ્રાગભાવાનાધારવૃત્તિ(મહાપ્રલયકાલવૃત્તિ) દીપäસના પ્રતિયોગી દીપકમાં રહેલી અધિકરણતાનિરૂપિત વૃત્તિતા પણ છે. આ રીતે તાદશદુઃખત્વમાં સાધ્યની સિદ્ધિ થવાથી તઘટક મહાપ્રલયની સિદ્ધિથી બધા જીવોના મોક્ષની સિદ્ધિ થાય છે. ત્યાર પછી તે તે ચૈત્ર મૈત્ર ઈત્યાદિ જીવોના દુ:ખત્વને પક્ષ બનાવી તે તે જીવોની મુક્તિને સિદ્ધ કરી શકાય છે-આ પ્રમાણે તાર્કિક-નૈયાયિકોનો મત છે. પરંતુ તે ન્યાયયુક્ત નથી. કારણ કે સાધ્યાંશમાં વૃત્તિવિશેષનો અર્થ દુઃખપ્રાગભાવનિષ્ઠાધેયતાનિરપિતાધિકરણતાવ ભિન્નાધિકરણતાનિરૂપિત દવંસનિષ્ઠાધેયતાનો અભાવીયવિશેષણાત્મક