________________
नित्योत्कृष्टसुखव्यक्तिरिति तौतातिता जगुः । नित्यत्वं चेदनन्तत्वमत्र तत्संमतं हि नः ॥३१-१५॥
નિત્ય ઉત્કૃષ્ટ સુખની અભિવ્યક્તિને તૌતાતિતો મુક્તિ તરીકે વર્ણવે છે. એમાં નિત્યત્વ અનંતત્વસ્વરૂપ હોય તો તે અમને સંમત જ છે.''-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. સર્વશ્રેષ્ઠ નિત્ય એવા સુખની જે અભિવ્યક્તિ છે એને તુતાત નામના વિદ્વાનના અનુયાયીઓ મુકિત કહે છે. તેમની માન્યતાના સુખનું નિત્યત્વ જ અનંતત્વસ્વરૂપ હોય તો ચોક્કસ જ તે અમને સંમત છે. કારણ કે અમારે ત્યાં શ્રી સિદ્ધપરમાત્માનું સર્વોત્કૃષ્ટ સુખ સાદિ-અપર્યવસિત(અનંત)સ્વરૂપે વર્ણવેલું છે. તે સુખની અભિવ્યક્તિ મોક્ષમાં થાય છે. ૩૧-૧પો.
તૌતાતિતોની જ માન્યતાને અનુલક્ષીને જણાવાય
છે,
अथानादित्वमेतच्चेत्, तथाप्येष नयोऽस्तु नः । સર્વથપાને ચાત, સર્વ તદુપસ્થિતિ રૂ-દા.
નિત્ય ઉત્કૃષ્ટ એવા સુખની અભિવ્યક્તિને મુક્તિ માનનારાઓના મતમાં “અનાદિસ્વરૂપ નિત્ય હોય તોપણ તે અમારી-જૈનોની માન્યતાનો નય છે. સર્વધા અનાદિત્યસ્વરૂપ નિત્યત્વ માનવામાં આવે તો નિત્ય ઉત્કૃષ્ટ