Book Title: Maja Aavi Gai Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 8
________________ પડે છે અને જો તારે પ્રેમ, કરુણા, વ્યથા અને સંવેદનશીલતાના જ અનુભવો કરતા રહેવું છે તો એ માટે તારે હૃદયને જ ધબકતું રાખવું પડે છે. શું કહું તને? જીવનભર બુદ્ધિનો જ ઉપયોગ કરતા રહેવામાં તો પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોને ય સફળતા નથી મળી, એમને ય ક્યાંક ને ક્યાંક તો જીવનને રસમય, ઉલ્લાસમય અને પ્રસન્નતામય રાખવા હૃદયને શરણે જવું જ પડ્યું છે જ્યારે બુદ્ધિને એક બાજુ રાખી દઈને માત્ર હૃદયના જ સહારે સ્વજીવનને પ્રસન્નતાથી તરબતર રાખવામાં લાખો યોગીઓને સફળતા મળી છે. એટલી જ સલાહ છે મારી તને કે લોકો તને પાગલખાનામાં મૂકવા તૈયાર થઈ જાય એ હદે તું બુદ્ધિહીન ન બની જતો પણ અધ્યાત્મ જગતમાં લોકો તને ‘પાગલ’ નું બિરુદ આપી દેવા તત્પર થઈ જાય એ હદે તું પ્રભુ પાછળ તારા હૃદયને ખુલ્લું મૂકી દેજે, તારું જીવ્યું સાર્થક બની જશે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 100