Book Title: Jain Vartao 03 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ૪ : જૈનધર્મની વાર્તાઓ પ્રતિબોધ પમાડે. હે ભવ્ય, તમે આ પૃથ્વી પર પહેલાં અવતર્યા છો, અને મનુષ્યમાં ઉત્તમ એવા ચક્રવર્તીપદના ભોગોને ઘણા કાળ સુધી ભોગવી ચૂકયા છો. અરે, સર્પની ફેણ જેવા દુ:ખકર આ ભોગોથી આત્માને શો લાભ છે? તેમાં કિંચિત્ સુખ નથી, માટે હે રાજન! હૈ મિત્ર! હવે તેને છોડીને મોક્ષસુખને માટે ઉદ્યમ કરો. અરે, અચ્યુત સ્વર્ગનો દૈવી વૈભવ પણ અસંખ્યવર્ષો સુધી ભોગવી ચૂકયા છતાં જીવને તૃપ્તિ ન થઈ; આ રાજવૈભવ તો એની પાસે સાવ તુચ્છ છે. માટે એનો મોહ છોડીને હવે મોક્ષમાર્ગમાં લાગો.’ પોતાનાં મિત્ર મણિકેતુદેવનાં આવા હિતવચનો પણ તે સગર ચક્રવર્તીએ લક્ષમાં ન લીધાં. તે વિષયોમાં આસક્ત અને વૈરાગ્યથી વિમુખ જ રહ્યો. તેની આવી દશા જોઈને, ‘આને હજી મુક્તિનો માર્ગ દૂર છે' –એમ વિચારી તે દેવ પોતાના સ્થાને ચાલ્યો ગયો... ખરૂં જ છે કે ડાહ્યા પુરુષો બીજાના અહિતની તો વાત જ નથી કરતા, ને હિતની વાત પણ યોગ્ય સમય વિચારીને જ કરે છે. અરે, ધિક્કાર છે આ સંસાર-કે જેની Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 85