Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩૩ રાજકુમાર સુકોશલ વૈરાગ્યવંત ધર્માત્મા હતો; રાજવૈભવના સુખોમાં એનું ચિત્ત ચોંટતું નહીં આત્મસ્વભાવની ભાવનામાં તે રત રહેતો હતો. યુવાન થતાં તેની માતાએ તેનાં લગ્ન કર્યા. એક દિવસ સુકોશલકુમાર રાજમહેલની અગાશીમાં બેસીને અયોધ્યા નગરની શોભા નીહાળતો હતો; તેની માતા સહદેવી તેમ જ ધાવમાતા પણ ત્યાં જ હતાં. એવામાં એકાએક ગામ બહાર નજર કરતાં રાજકુમારે જોયું કે કોઈ મહા તેજસ્વી મુનિરાજ શહેર તરફ આવી રહ્યા છે... પણ રાજ્યના સિપાઈઓ તેમને દરવાજા બહાર અટકાવી રહ્યા છે... નગરીમાં આવવા દેતા નથી. એ દશ્ય દેખીને કુમારને આશ્ચર્ય થયું. તેને સમજાયું નહિ કે આવનાર મહાપુરુષ કોણ છે ને પહેરેગીરો તેને શા માટે રોકી રહ્યા છે? બીજી બાજુ સહદેવીએ પણ તે મુનિરાજને દેખા.... તે બીજું કોઈ નહિ પણ મહારાજા કીર્તિધર જ હતા, –જેમણે સુકોશલને ૧૫ દિવસનો છોડીને દીક્ષા લીધી હતી. તેમને જોતાં જ રાણીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85