________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ : જૈનધર્મની વાર્તાઓ
ત્યારે રાજકુમારે કહ્યું જ્યાં વૈરાગ્યદશા જાગી ત્યાં સંસારના કોઈ બંધન પાલવે નહિ. છતાં, આ વિચિત્રદેવીના ગર્ભમાં જે બાળક છે તેને રાજતિલક કરીને હું રાજ્ય સોંપુ છું એમ કહી, ત્યાં ને ત્યાં ગર્ભસ્થબાળકને અયોધ્યામાં રાજ્ય સોંપીને, તે સુકોશલકુમારે પોતાના પિતા કીર્તિધર મુનિ પાસે જિનદીક્ષા લીધી. પિતા સાથે પુત્ર પણ સંસારનાં બંધન તોડી મોક્ષપંથે ચાલવા લાગ્યો. કલૈયો કુંવર રાજવૈભવ છોડીને મોક્ષના આત્મવૈભવને સાધવા લાગ્યો. ક્ષણ પહેલાનો રાજકુમાર અત્યારે મુનિ થઈને આત્મધ્યાનમાં શોભી રહ્યો છે.
ધન્ય તેનું આત્મજ્ઞાન. ધન્ય તેનો વૈરાગ્ય ! રાજકુમાર સુકોશલના વૈરાગ્યની વાર્તા પૂરી થઈ; હવે તેની માતાનું શું થયું તે સાંભળો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com