Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 52
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ : જૈનધર્મની વાર્તાઓ ભરતના મીઠાં વચન સાંભળતાં હાથીને ઘણી શાંતિ થઈ; તેની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં ! વૈરાગ્યથી તે વિચારવા લાગ્યો કે અરે, હવે અફસોસ કરવો શું કામનો ? –પણ હવે મારું આત્મકલ્યાણ થાય ને હું આ ભવદુઃખથી છૂટું એવો ઉપાય કરીશ. આ રીતે પરમ વૈરાગ્યનું ચિંતન કરતો હાથી એકદમ શાંત થઈને ભરતની સામે ટગર ટગર નજરે જતો ઊભો. જાણે કહેતો હોય કે હે બંધુ! તમે પૂર્વભવના મારા મિત્ર છો; પૂર્વે સ્વર્ગમાં આપણે સાથે હતા, તો અત્યારે પણ મને આત્મકલ્યાણ આપીને આ પશુગતિમાંથી મારો ઉદ્ધાર કરો ! [ વાહ રે વાહ! ધન્ય હાથી! તેં હાથી થઈને આત્માના કલ્યાણનું મોટું કામ કર્યું! પશુ હોવા છતાં તે પરમાત્માને ઓળખી લીધા ને તારું જીવન સાર્થક કર્યું.] હાથીને એકાએક શાંત થઈ ગયેલો જોઈને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85