Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 68
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ : જૈનધર્મની વાર્તાઓ પ્રભુ પછી તેમના શાસનમાં દેશભૂષણ-કુલભૂષણ કેવળજ્ઞાની થશે. –તે સાંભળીને પૂર્વની દ્રષબુદ્ધિથી પ્રેરાયેલા દુષ્ટ અગ્નિપ્રભદેવે વિચાર્યું કે હું તેમને ઉપસર્ગ કરું ને કેવળીનાં વચન મિથ્યા કરું! આવી મિથ્થાબુદ્ધિ વડે તેણે દેશભૂષણ કુલભૂષણ મુનિઓ ઉપર ઉપસર્ગ કરવા માંડ્યોઃ વિક્રિયાવડે હજારો સર્પ અને વીંછી તેમને વીંટળાઈ ગયા; એવી ગર્જના કરી કે પર્વત ધ્રૂજી ઊઠ્યો .. ક્રૂર પશુઓનું રૂપ ધરીને મુનિને ખાઈ જવાની ચેષ્ટા કરી... રોજ રાત પડે ને ધ્યાનસ્થ મુનિઓ ઉપર ઉપસર્ગ કરે; તે ઉપસર્ગનોઃ ભયાનક અવાજ દશદશ ગાઉ સુધી સંભળાય. તે સાંભળીને નગરજનો ભયથી ધ્રૂજી ઊઠે... રાજા પણ કાંઈ ઉપાય કરી ન શક્યો; એટલે ભયના માર્યા રાજા-પ્રજા સૌ રાત પડે ત્યાં નગરી છોડીને દૂર ચાલ્યા જતા. એ રીતે અત્યંત ભયભીત નગરજનોને દેખીને રામે તેનું કારણ પૂછયું. નગરજનોએ કહ્યું: અહીં રોજ રાત્રે કોઈ દુષ્ટ દેવ ભયંકર ઉપદ્રવ કરે છે, તેના અત્યંત કર્કશ અવાજથી અમે સૌ ભયભીત છીએ. ખબર નથી પડતી કે પર્વત ઉપર રોજ રાત્રે આ શું થાય છે! ત્યાં ઘણો ભય છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85