Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 78
________________ Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates ૭૪ : જૈનધર્મની વાર્તાઓ પછી તે ઉદિત-મુદિત બન્ને ભાઈઓ એક મુનિરાજના ઉપદેશથી વૈરાગ્ય પામીને મુનિ થયા. તેઓ સમ્મેદ–શિખરની યાત્રા કરવા જતાં માર્ગ ભૂલીને ઘોર અટવીમાં આવ્યા. ત્યાં પૂર્વભવના વેરી ક્રૂર ભીલે તેમને જોયા, ને મારવા તૈયાર થયો. આ ઉપસર્ગનો પ્રસંગ જોઈને મોટા ઉદિત મુનિએ નાના મુદિતમુનિને કહ્યું: ‘હું ભ્રાત! મરણના ઉપસર્ગનો પ્રસંગ આવ્યો છે, પણ તું ભય ન કરતો... ક્ષમામાં સ્થિર રહેજે. પૂર્વે આપણે જેને માર્યો હતો તે દુષ્ટ વસુનો જીવ, ભીલ થઈને અત્યારે આપણને મારવા આવ્યો છે... પણ આપણે તો મુનિ છીએ, આપણને શત્રુ-મિત્ર કેવા ! માટે તું આત્માની વીતરાગભાવનામાં દૃઢ રહેજે ! ત્યારે જવાબમાં મુદિત-મુનિ કહે છે: અહો ભ્રાત ! આપણે મોક્ષના ઉપાસક, દેહથી ભિન્ન આત્માને અનુભવનારા, આપણને શેનો ભય ? છેદાવ વા ભેદાવ, કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ પણ પરિગ્રહ નથી મારો ખરે ! દેહાદિ માાં છે જ નહીં; હું તો અતીન્દ્રિય ચૈતન્ય છું; મારી અતીન્દ્રિય શાંતિને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85