Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 77
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૩ [૪૬] દેશભૂષણ-કુલભૂષણના પુર્વભવો (૧) તે દેશભૂષણ અને કુલભૂષણ પૂર્વે એક ભવમાં ઉદિત અને મુદિત નામના સગા ભાઈ હતા. માતાનું નામ ઉપભોગા. તે દુરાચારિણી હતી; ને વસુ નામના દુષ્ટ પુરુષ સાથે તે પ્રેમમાં હતી. મોહવશ તે દુષ્ટ વસુએ તેના પતિને મારી નાખ્યો. તથા વિષયાંધ માતા ઉપભોગાએ પોતાના બન્ને પુત્રોને પણ મારી નાંખવા માટે વસુને કહ્યું કે આ બન્ને પુત્રો આપણા દુષ્કર્મને જાણી ન જાય માટે તેમને મારી નાંખો. અરેરે, વિષયાંધા સંસારી પ્રાણી ! વિષયાંધ થઈને માતા પોતાના સગા પુત્રોને પણ મારી નાંખવા તૈયાર થઈ ! –પણ તેની આ ખાનગી વાત તેની પુત્રી સાંભળી ગઈ, ને તેણે પોતાના ભાઈઓ ઉદિત-મુદિતને તે વાત જણાવીને સાવધાન કરી દીધા. આથી ક્રોધે ભરાઈને તે બન્ને ભાઈઓએ વસુને મારી નાખ્યો. તે મરીને દૂર ભીલ થયો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85