Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 82
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ : જૈનધર્મની વાર્તાઓ જૈન બાળકનાં બે હાલરડાં [૧] [ સોનગઢમાં ગુરુ કહાન જ્યારે અસ્વસ્થ રહેતા ત્યારે તેમની સમીપ બેસીને બ્ર. હરિભાઈ દરરોજ અધ્યાત્મ ગીત બોલીને સ્વાધ્યાય કરાવતા. તેમાં એકવાર, અહીં છાપેલું ગીત સૂર્યકુંવર' નામ ગોઠવીને ગાયું હતું... અને સૂતાં સૂતાં પ્રસન્નતાથી તે સાંભળતાં તેમને નીંદર આવી ગઈ હતી.] (રાગઃ “મારા બંધુ ! અરિહંત થાવું સહેલ છે..') તું શુદ્ધ છો. તું બુદ્ધ. તું નિર્વિકલ્પ ઉદાસી... વીર કુંવર! ઝૂલો રે ચૈતન્યપારણે... ચેતનરાજા! ઝૂલો રે ચૈતન્યપારણે... હે સૂર્યકુંવર! ઝૂલો રે આનંદપારણે... તું સ્વાનુભૂતિ-પ્રકાશી, ને આતમ-ગુણ વિલાસી... વીરા મારા! આપોને, સમ્યકજ્ઞાનને તમે છો ચૈતન્ય સાધક, નિજ મોક્ષતણા આરાધક.. ફૂલો, ફૂલો, તમે તો ચૈતન્યપારણે.... બેટા! ઝટઝટ મોટો થાજે ને મુનિ થઈ વિચરજે, દેજે–દેજે, તું રત્નત્રયનાં દાનને. પ્રભુ! કહેણ તારાં મોટાં, ને જગમાં છે નહિ જોટા ભવ્યજીવો... સ્વીકારે તારાં કહેણને. તું જિનશાસન અજવાળી ને કેવળજ્ઞાન પ્રગટાવી, ભવથી છૂટી પરમ પદને પામજે... Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85