Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 81
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૭ તરીકે અવતર્યા પોતાની બહેનને દેખીને, અજાણપણે બન્ને તેના પર મોહિત થયા, અને તેને પરણવા માટે એકબીજા સાથે લડવા ને એકબીજાને મારવા પણ તૈયાર થયા. પણ જ્યાં ખબર પડી કે અરે, જેને માટે આપણે લડીએ છીએ તે તો આપણી બહેન છે! –તે ખબર પડતાં જ બન્ને એવા શરમાઈ ગયા કે નગર છોડી વનમાં ચાલ્યા ગયા ને જિનદીક્ષા લઈને મુનિ થયા. પછી જ્યારે તેઓ આત્મધ્યાનમાં હતા ત્યારે પૂર્વનો વેરી અગ્નિપ્રભ દેવ તેમને ઉપસર્ગ કરતો હતો. રામ લક્ષ્મણે તેને ભગાડીને ઉપસર્ગ દૂર કર્યો ને બન્ને મુનિઓને કેવળજ્ઞાન થયું. તે બન્ને કેવળી ભગવંતો વિહાર કરતાં કરતાં અયોધ્યાનગરીમાં પધાર્યા ને ભરતને તથા હાથીના જીવને પ્રતિબોધ્યા... પછી કુંથલગિરિથી મોક્ષ પધાર્યા. તે ભગવંતોને નમસ્કાર હો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85