________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જૈનધર્મની વાર્તાઓ : ૭૧
અનેક ભવ્ય મંદિરો કરાવીને, અદ્દભુત જિનભક્તિ કરી. ત્યારથી આ વશંસ્થ પર્વતને લોકો ‘રામિગિર ’ કહેવા લાગ્યા. આજે પણ મધ્યપ્રદેશમાં તે ‘રામટેકતીર્થ ’ તરીકે પ્રસિદ્ધ છે. (સં. ૨૦૧૫માં અનેક ભક્તો સહિત પૂ. શ્રી કાનજીસ્વામીએ તે રામટેક તીર્થની પણ યાત્રા કરી હતી. )
ગગનવિહારી
દેશભૂષણ-કુલભૂષણ કેવળી
ભગવંતો દિવ્યધ્વનિવડે દેશોદેશના ભવ્યજીવોને ધર્મનો પ્રતિબોધ કરતા કરતા અયોધ્યાનગરીમાં પધાર્યા, ત્યારે ફરીને તે કેવળીભગવંતોના દર્શન કરતાં રામ-લક્ષ્મણસીતાને તેમજ ભરત કૈકેયી વગેરેને ઘણો હર્ષ થયો. તેમનો ધર્મોપદેશ સાંભળીને ભરતે દીક્ષા લીધી ને હાથીએ પણ શ્રાવકવ્રત અંગીકાર કર્યા. પછી વિહાર કરતાં કરતાં તે બન્ને ભગવંતો કુંથલગિર પધાર્યા ને ત્યાંથી મોક્ષ પામીને સિદ્ધાલયમાં બિરાજે છે. બન્ને ભાઈઓ સંસારમાં અનેક ભવમાં સાથે રહ્યા ને અત્યારે મોક્ષમાં પણ સાથે જ બિરાજે છે.
તે ભગવંતોને નમસ્કાર હો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com