Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 73
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૯ જાણે વજપાત થયો. લક્ષ્મણ પણ સિંહગર્જના કરીને અગ્નિપ્રભની પાછળ દોડ્યો. અગ્નિપ્રભદેવ સમજી ગયો કે આ કોઈ સાધારણ માણસો નથી પણ મહાપ્રતાપી બળદેવ ને વાસુદેવ છે; તેમનો દિવ્ય પુણ્યપ્રભાવ દેખીને તે અગ્નિપ્રભદેવ ભાગી ગયો ને તેની બધી માયા સંકેલાઈ ગઈ. ઉપસર્ગ દૂર થયો. ઉપસર્ગ દૂર થતાં જ, ધ્યાનમાં લીન દેશભૂષણ કુલભૂષણ મુનિઓને કેવળજ્ઞાન થયું... તે કેવળજ્ઞાનનો ઉત્સવ ઉજવવા કેટલાય દેવો આવ્યા. ચારેકોર મંગલનાદ થવા લાગ્યા. રાત્રિ પણ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઊઠી. કેવળજ્ઞાનના પ્રતાપે ત્યાં રાત્રિ-દિવસનો ભેદ ન રહ્યો. અહીં, પોતાની હાજરી માં જ એ મુનિ ભગવંતોને કેવળજ્ઞાન થતું દેખીને રામ-લક્ષ્મણ-સીતાને તો આનંદનો પાર ન રહ્યો. હર્ષિત થઈને તેમણે તે સર્વજ્ઞભગવાનની પરમ સ્તુતિ કરી; દિવ્ય ધ્વનિદ્વારા ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. અહ, પ્રભુના શ્રીમુખથી ચૈતન્યતત્ત્વનો કોઈ પરમ અદ્દભુત ગંભીર મહિમા સાંભળતાં તેમને મહાઆનંદ થયો. દેશભૂષણકુલભૂષણના પિતા-જે મરીને ગરુડેન્દ્ર થયા હતા તે કેવળીભગવાનના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85