________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૭
રામને વીંટળાઈ ગઈ... રામે કહ્યું-હે દેવી! તું ભય ન કર. સીતાને ધીરજ આપીને બન્ને ભાઈઓએ મુનિઓના શરીર ઉ૫૨થી સર્પને પકડીને દૂર કર્યો. -બળદેવવાસુદેવના પુણ્ય-પ્રભાવ પાસે અસુરદેવની વિક્રિયાનું જોર ન ચાલ્યું. તેણે વિક્રિયા સંકેલી લીધી.
,
એ રીતે ઉપસર્ગ દૂર થવાનું સમજી રામ-લક્ષ્મણસીતા આનંદ સહિત મુનિરાજની સ્તુતિ કરવા લાગ્યાઃ ‘હું દેવ! આપ તો સંસારથી ઉદાસ ને મોક્ષના સાધક છો... આપ મંગળ છો, આપનું શરણ લેતાં ભવ્ય જીવોના ભવનો ઉપદ્રવ દૂર થઈ જાય છે ને આનંદમય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. અહો, આપ જિનમાર્ગના પ્રકાશક છો. . ને સમ્યકત્વાદિ ત્રણ ઉત્તમ રત્નો વડે શોભી રહ્યા છો; આત્માની સાધનામાં આપ મેરુ જેવા નિશ્ચલ છો. તુચ્છ અસુરદેવ ત્રણ ત્રણ રાતથી ઘોર ઉપદ્રવ કરતો હોવા છતાં આપ આત્મસાધનાથી ડગતા નથી, કે ક્રોધનો વિકલ્પ પણ કરતા નથી. ધન્ય આપની વીતરાગતા ! આપની પાસે એક નહિ પણ અનેક લબ્ધિઓ છે, આપ ધારો તો અસુદેવને ક્ષણમાં ભગાડી મૂકો... પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com