________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ : જૈનધર્મની વાર્તાઓ ભયની મારી કયાંક પર્વત ઉપરથી પડી ન જાય એમ વિચારી, રામ આગળ ને લક્ષ્મણ પાછળ, વચ્ચે સીતા
એમ બન્ને ભાઈઓ ખૂબ સાવધાનીથી સીતાને પહાડના શિખર ઉપર લઈ ગયા.
પહાડ ઉપર જઈને જોયું ત્યાં તો અદભુત આશ્ચર્યકારી દેશ્ય દેખ્યું: અહા! અત્યંત સુકોમળ બે યુવાન મુનિભગવંતો ઊભા ઊભા દેહથી ભિન્ન આત્માનું ધ્યાન કરી રહ્યા છે. દરિયા જેવી ગંભીર એમની શાંત મુદ્રા છે. આવા વીતરાગ મુનિ ભગવંતોને દેખીને તેમને અત્યંત પ્રસન્નતા થઈ ને ભક્તિભાવથી સ્તુતિ કરવા લાગ્યા.... રામ-લક્ષ્મણ-સીતાએ એવી ભાવભીની સ્તુતિ કરી કે પર્વત ઉપરના પશુઓ પણ તે સાંભળીને મોહિત થયા, ને ત્યાં આવીને શાંતિથી બેસી ગયા. રામ-લક્ષ્મણ-સીતા ત્યાં જ રહ્યા. રાત પડી... ને અસુરદેવ ઉપદ્રવ કરવા આવી પહોંચ્યો; મોટા ભયાનક સર્પનું રૂપ લસને જીભના લબકારા કરતો તે મુનિઓના શરીરને વીંટળાઈ વળ્યો. રામ-લક્ષ્મણ આ ઉપદ્રવને અસુરની માયા સમજીને તેના ઉપર એકદમ ગુસ્સે થયા. સીતા તો એનું ભયાનક રૂપ દેખીને ભયથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com