Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 69
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૫ ને તમે અજાણ્યા છો, માટે તમે ત્યાં ન જશો; તમે પણ અમારી સાથે સુરક્ષાના સ્થાને આવો. એ સાંભળીને સીતા પણ ભયભીત થઈને કહેવા લાગી-હે દેવ! આપણે ત્યાં નથી જવું. ચાલો, આપણે પણ આ લોકોની સાથે નિર્ભય સ્થાનમાં જઈને રાત વીતાવીએ. ત્યારે રામ હસીને કહે છે કે રે જાનકી ! તું તો બહુ બીકણ છો. તારે લોકોની સાથે જવું હોય તો તું જા! અમે તો અહીં આ પર્વત ઉપર જ રાત રહેશું ને આ બધું શું થાય છે તે જોઈશું. અમને કોઈનો ડર નથી. ત્યારે સીતાએ કહ્યું: હે નાથ ! તમારી હઠ દુર્નિવાર છે! તમે જશો તો હું પણ સાથે જ આવીશ. આપ અને લક્ષ્મણ જેવા વીર મારી સાથે છો, પછી મને પણ કોનો ભય છે! એમ કહીને તે પણ રામ-લક્ષ્મણની સાથે જ વંશસ્થ પર્વત તરફ જવા લાગી. લોકોએ તેમને ત્યાં ન જવા ઘણું સમજાવ્યા, પણ રામ-લક્ષ્મણ તો નિર્ભયપણે પર્વત ઉપર જવા લાગ્યા. સીતા પણ સાથે ચાલી. સીતા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85