________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૬૫ ને તમે અજાણ્યા છો, માટે તમે ત્યાં ન જશો; તમે પણ અમારી સાથે સુરક્ષાના સ્થાને આવો.
એ સાંભળીને સીતા પણ ભયભીત થઈને કહેવા લાગી-હે દેવ! આપણે ત્યાં નથી જવું. ચાલો, આપણે પણ આ લોકોની સાથે નિર્ભય સ્થાનમાં જઈને રાત વીતાવીએ.
ત્યારે રામ હસીને કહે છે કે રે જાનકી ! તું તો બહુ બીકણ છો. તારે લોકોની સાથે જવું હોય તો તું જા! અમે તો અહીં આ પર્વત ઉપર જ રાત રહેશું ને આ બધું શું થાય છે તે જોઈશું. અમને કોઈનો ડર નથી.
ત્યારે સીતાએ કહ્યું: હે નાથ ! તમારી હઠ દુર્નિવાર છે! તમે જશો તો હું પણ સાથે જ આવીશ. આપ અને લક્ષ્મણ જેવા વીર મારી સાથે છો, પછી મને પણ કોનો ભય છે! એમ કહીને તે પણ રામ-લક્ષ્મણની સાથે જ વંશસ્થ પર્વત તરફ જવા લાગી.
લોકોએ તેમને ત્યાં ન જવા ઘણું સમજાવ્યા, પણ રામ-લક્ષ્મણ તો નિર્ભયપણે પર્વત ઉપર જવા લાગ્યા. સીતા પણ સાથે ચાલી. સીતા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com