________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર : જૈનધર્મની વાર્તાઓ
[૪૪] * [ ભરત અને હાથીના પૂર્વભવ ] *
ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી મહારાજા લક્ષ્મણે પૂછયું –હે ભગવાન! આ ત્રિલોકમંડન હાથી પહેલાં તો ગજબંધન તોડને કેમ ભાગ્યો? અને પછી ભરતને દેખીને એકાએક શાંત કેમ થઈ ગયો? ત્યારે ભગવાનની વાણીમાં એમ આવ્યું કે ભારતનો જીવ અને આ હાથીનો જીવ બન્ને પૂર્વભવનાં મિત્રો છે. –સાંભળો, તેમનાં પૂર્વભવ
આ ભારત અને ત્રિલોકમંડન હાથી બન્ને જીવો ઘણા ભવ પહેલાં ભગવાન ઋષભદેવના વખતમાં ચંદ્ર તથા સૂર્ય નામના બે ભાઈ હતા. મરીચિના મિથ્યા ઉપદેશથી કુધર્મ સેવીને બન્નેએ ઉંદર-મોર-પોપટ-સર્પહાથી-દેડકું-બિલ્લી-કૂકડો વગેરે ઘણા ભવો કર્યા અને બન્નેએ એકબીજાને ઘણીવાર માર્યા, ઘણીવાર ભાઈ થયા, વળી પિતા-પુત્ર થયા. આ રીતે ભવભ્રમણ કરતા-કરતા કેટલાક ભવ પછી ભરતનો જીવ તો જૈન ધર્મ પામ્યો ને મુનિ થઈને છઠ્ઠી સ્વર્ગમાં ગયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com