Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 60
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ : જૈનધર્મની વાર્તાઓ પ્રેમ આવે છે. તપ કરવાથી ધીમે ધીમે તેનું શરીર દૂબળું પડવા લાગ્યું, ને અંતે ધર્મધ્યાનપૂર્વક દેહ છોડીને તે પાછો છઠ્ઠી સ્વર્ગમાં ગયો. ને થોડા કાળમાં મોક્ષ પામશે. બાળકો, હાથીની સરસ વાર્તા પૂરી થઈ. તે વાંચીને તમે પણ હાથી જેવા થાજો. હાથી જેવા જાડા નહીં હો, પણ હાથી જેવા ધર્માત્મા થાજો... આત્માને ઓળખજો ને મોક્ષને સાધજો. “નમો કુંભકર્ણ-દેવાય!” જી હા ! અમે કુંભકર્ણને નમસ્કાર કર્યા. શું તમને આશ્ચર્ય થયું? તો સાંભળો - રાવણનો ભાઈ કુંભકર્ણ એ કાંઈ છ માસ સુધી ઊંઘતો ન હતો, એને જગાડવા છાતી પર હાથી ચલાવવા પડતા ન હતા; જાગીને એ પાડા ખાઈ જતો ન હતો. અરે, એ કુંભકર્ણ તો વીતરાગ જૈનમાર્ગના ઉપાસક એક અહિંસક મહાત્મા હતા, ને તે જ ભવે મુનિ થઈ, કેવળજ્ઞાન પામી, મધ્યપ્રદેશમાં બડવાની–ચૂલગિરિ પરથી મોક્ષ પામ્યા છે. આપણે એમને સિદ્ધભગવાન તરીકે પૂજીએ છીએ.. તેથી જ અમે લખ્યું છે કે “નમો કુંભકર્ણદેવાય.' બોલો કુંભકર્ણ ભગવાન કી જય. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85