________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ : જૈનધર્મની વાર્તાઓ વિદ્યાગુરુ સિવાય બીજા કોઈને ઓળખતા ન હતા. વિધા અભ્યાસ પૂરો કરીને જ્યારે બન્ને યુવાન કુમારો પાછા આવ્યા ત્યારે રાજાએ નગરીને શણગારીને તેમનું ભવ્ય સન્માન કર્યું ને તેમના વિવાહુ માટે રાજકન્યાઓ પસંદ કરીને તૈયારી કરી.
બન્ને ભાઈઓની સ્વાગત-યાત્રા નગરીમાં ફરતાં ફરતાં રાજમહેલ પાસે આવી, ત્યાં ઝરૂખામાં એક અતિ સુંદર રાજકન્યા પ્રસન્નચિત્તે ઊભી હતી. તેનું અદ્ભુત રૂપ દેખીને બન્ને રાજકુમારો તેના ઉપર મુગ્ધ બન્યા. તે રાજકન્યા પણ એકીટશે તેમને જોઈ રહી. બન્નેનું અદભુત રૂપ નીહાળી-નીહાળીને તે પણ ખૂબ પ્રસન્ન થતી હતી.
- હવે એકસાથે આ દેશભૂષણ-કુલભૂષણ બન્ને ભાઈઓને એમ થયું કે આ રાજકન્યા મારા માટે જ છે... તે મારા ઉપર પ્રસન્ન થઈ છે ને હું તેને પરણીશ; પરંતુ બીજો ભાઈ પણ એ રાજકન્યા ઉપર જ નજર માંડીને તેને રાગથી નીહાળી રહ્યો છે, તે દેખીને તેના ઉપર દ્વેષ આવ્યો કે જો મારો ભાઈ આ કન્યા ઉપર દષ્ટિ કરશે તો હું તેને મારીને પણ આ રાજકન્યાને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com