Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 61
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes જૈનધર્મની વાર્તાઓ : ૫૭ [ ૪૫ ] ભગવાન દેશભૂષણ અને કુલભૂષણ (બે વૈરાગી રાજકુમારોની કથા ) અયોધ્યામાં શ્રી દેશભૂષણ અને કુલભૂષણ બે કેવળી ભગવંતો પધાર્યા... રામચંદ્રજી વગેરે તેમનો ઉપદેશ સાંભળવા ગયા... ત્યાં ભરતે દીક્ષા લીધી ને હાથીએ શ્રાવકનાં વ્રત લીધાં; તેની કથા તમે હમણાં વાંચી. હવે તે દેશભૂષણ અને કુલભૂષણ ભગવંતોના અદ્દભુત જીવનની કથા કહીએ છીએ. ભગવાન રામચંદ્રજીના વખતની વાત છે. સિદ્ધાર્થનગરીના રાજા ક્ષેમંકર અને રાણી વિમલા દેવીઃ તેમને બે પુત્રોઃ એક દેશભૂષણ અને બીજા કુલભૂષણ. બન્ને ભાઈઓને એકબીજા પ્રત્યે પરમ પ્રેમ છે, માત્ર આ ભવમાં નહિ પણ પૂર્વે અનેક ભવથી તેઓ એકબીજાના ભાઈ છે. બન્ને ભાઈઓ આત્માને જાણનારા છે ને પૂર્વભવના સંસ્કારી છે. રાજાએ નાનપણથી જ બન્નેને વિદ્યા ભણવા બહારગામ મોકલ્યા. પંદર વર્ષો સુધી બન્ને ભાઈઓ વિદ્યાભ્યાસમાં એવા મશગુલ હતા કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85