Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 59
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૫ બધાને આનંદ થયો. હું ભવ્ય પાઠક! તને પણ આનંદ થયો ને! ‘હા !' તો તું પણ હાથીની જેમ તારા આત્માને જિનધર્મની આરાધનામાં જોડજે, ને માનમાયાના ભાવને છોડજે. હાથીના અને ભરતના પૂર્વભવની વાત સાંભળીને રામ-લક્ષ્મણ વગેરે સૌ આશ્ચર્ય પામ્યા. ભરતની સાથે એકહજાર રાજાઓ દીક્ષા લઈને મુનિ થયા. ભરતની માતા કૈકેયી પણ જિનધર્મની પરમ ભક્ત, વૈરાગ્ય પામીને અર્જિકા થઈ; તેની સાથે બીજી ૩૦૦ સ્ત્રીઓએ પૃથ્વીમતિમાતા પાસે દીક્ષા લીધી. (સીતાજી પણ તે પૃથ્વીમાતાના સંઘમાં સમાઈ ગયા હતા.) ત્રિલોકમંડન હાથીના હૈયામાં તો કેવળી ભગવાનના દર્શનથી આનંદ સમાતો નથી; પૂર્વભવ સાંભળીને અને આત્મજ્ઞાન પામીને તે એકદમ ઉપશાંત થઈ ગયો છે. સમ્યગ્દર્શન સહિત તે હાથી, વૈરાગ્યથી રહે છે ને શ્રાવકનાં વ્રત પાળે છે. પંદર-પંદર દિવસના કે મહિના-મહિનાના ઉપવાસ કરે છે; અયોધ્યાના નગરજનો ઘણા વાત્સલ્યપૂર્વક શુદ્ધ આહાર-પાણી વડે તેને પારણું કરાવે છે. આવા ધર્માત્મા હાથીને દેખીને બધાને તેના ઉપર ઘણો Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85