Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 58
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ : જૈનધર્મની વાર્તાઓ તેનું નામ ત્રિલોકમંડન રાખ્યું. રાવણને જીતીને રામલક્ષ્મણ તે હાથીને અહીં લઈ આવ્યા. લોકોની ભીડ દેખીને ગભરાટથી તે બંધન તોડીને ભાગ્યો હતો. પૂર્વભવના મિત્રોનું અહીં મિલન થયું, અને પૂર્વભવના સંસ્કારને લીધે ભરતને જોતાં જ હાથી શાંત થઈ ગયો; તેને જાતિસ્મરણ થયું છે ને પોતાના પૂર્વભવની વાત સાંભળીને સંસારથી એકદમ વૈરાગ્ય જાગ્યો છે; આત્માની સાધનામાં તેણે પોતાનું ચિત્ત જોયું છે, ને શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા છે. તે પણ નિકટ ભવ્ય છે. દેશભૂષણ-કેવળીની સભામાં પોતાના પૂર્વભવોની વાત સાંભળીને વૈરાગી ભરતે ત્યાં જ જિનદીક્ષા ધારણ કરી લીધી, ને પછી કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામ્યા. તેનો મિત્ર ત્રિલોકમંડન-હાથી પણ સંસારથી વિરક્ત થયો; તે હાથીએ આત્માનું ભાન પ્રગટ કરીને શ્રાવકવ્રત અંગીકાર કર્યા. વાહ! હાથીનો જીવ શ્રાવક બન્યો. પશુ હોવા છતાં દેવથી પણ મહાન બન્યો ! ને હવે અલ્પકાળે તે મોક્ષને પામશે. શ્રી દેશભૂષણ-કેવળ પ્રભુની વાણીમાં હાથીની આવી સરસ વાત સાંભળીને રામ-લક્ષ્મણ વગેરે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85