Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 65
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૬૧ અરે, વિષયાંધ થઈને અમે ભાઈ ભાઈનો સ્નેહું પણ ભૂલી ગયા ! હાય રે! અમને આવા દુષ્ટ ભાવ કેમ થયા! અરેરે! આવા સંસારમાં શું રહેવું! જ્યાં એક ભવની સ્ત્રી બીજા ભવમાં બહેન કે માતા થાય, એક ભવની બહેન બીજા ભવમાં સ્ત્રી વગેરે થાય. હવે આવા સંસારથી બસ થાઓ! અનેક દુઃખોથી ભરેલો આ સંસાર, જેમાં દુખ મોહ જીવને અનેક નાચ નચાવે છે; અમને ધિક્કાર છે કે મોહવશ અમારી બેન ઉપર જ અમને વિકાર થયો! હવે માતા-પિતાને અમે શું મોટું બતાવીએ! આમ વિચારીને, તેમને રાજમહેલમાં જતાં અત્યંત શરમ થઈ. એટલે સંસારને અસાર સમજી બન્ને ભાઈઓ તેનાથી અત્યંત વિરક્ત થયા ને ત્યાંથી જ પાછા વળીને જિનદીક્ષા લઈને મુનિ થયા. મુનિ દેશભૂષણ અને કુલભૂષણ આત્મસાધનામાં તત્પર હતા. મહાન તપના પ્રભાવે તેમને આકાશગામિની ઋદ્ધિ પ્રગટી હતી; તેઓ દેશોદેશ વિચરતા થકા પૃથ્વીને તીર્થરૂપ બનાવવા લાગ્યા... તેમના પિતા બન્ને પુત્રોના વિરહુના આહારનો ત્યાગ કરી, પ્રાણ છોડીને ભવનવાસી દેવમાં ગરુડેન્દ્ર થયા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85