Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 55
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૧ તેમનાં દર્શન કરવા ચાલ્યા... રામ-લક્ષ્મણ-ભરત ને શત્રુદન પણ ત્રિલોકમંડન હાથી ઉપર બેસીને તે ભગવંતોનાં દર્શન કરવા ચાલ્યા. ને આવીને ધર્મોપદેશ સાંભળવા બેઠા. ભગવાને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનો અદ્દભુત ઉપદેશ આપ્યો. તે સાંભળીને સૌને ઘણો આનંદ થયો. ત્રિલોકમંડન હાથીના આનંદનો પણ પાર નથી. તે કેવળીભગવાનનાં દર્શનથી ઘણો જ પ્રસન્ન થયો છે, ને ધર્મોપદેશ સાંભળીને તેનું ચિત્ત સંસારથી ઉદાસ થઈ ગયું. છે. તેણે અપૂર્વ આત્મશાંતિ પ્રાપ્ત કરી છે, ને ભગવાનને નમસ્કાર કરીને શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા છે. ધન્ય છે હાથીભાઈ, તમને! તમે આત્માને ઓળખીને તમારું જીવન શોભાવ્યું છે! તમે પશુ નથી પણ દેવ છો, ધર્માત્મા છો, દેવોથી પણ મહાન છો. બાળકો, જાઓ જૈનધર્મનો પ્રતાપ! એક હાથી જેવો પશુનો જીવ પણ જૈનશાસન પામીને કેવો મહાન થઈ ગયો! તો તમેય આવું મજાનું જૈનશાસન પામીને, હાથી જેવા બહાદુર થઈને, આત્માની ઓળખાણ કરજો, ને ઉત્તમ વૈરાગ્યજીવન જીવજે ! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85