________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ : જૈનધર્મની વાર્તાઓ
ભરતના મીઠાં વચન સાંભળતાં હાથીને ઘણી શાંતિ થઈ; તેની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યાં ! વૈરાગ્યથી તે વિચારવા લાગ્યો કે અરે, હવે અફસોસ કરવો શું કામનો ?
–પણ હવે મારું આત્મકલ્યાણ થાય ને હું આ ભવદુઃખથી છૂટું એવો ઉપાય કરીશ. આ રીતે પરમ વૈરાગ્યનું ચિંતન કરતો હાથી એકદમ શાંત થઈને ભરતની સામે ટગર ટગર નજરે જતો ઊભો. જાણે કહેતો હોય કે હે બંધુ! તમે પૂર્વભવના મારા મિત્ર છો; પૂર્વે સ્વર્ગમાં આપણે સાથે હતા, તો અત્યારે પણ મને આત્મકલ્યાણ આપીને આ પશુગતિમાંથી મારો ઉદ્ધાર કરો !
[ વાહ રે વાહ! ધન્ય હાથી! તેં હાથી થઈને આત્માના કલ્યાણનું મોટું કામ કર્યું! પશુ હોવા છતાં તે પરમાત્માને ઓળખી લીધા ને તારું જીવન સાર્થક કર્યું.]
હાથીને એકાએક શાંત થઈ ગયેલો જોઈને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com