________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ : જૈનધર્મની વાર્તાઓ તે જ જંગલમાં મુનિરાજ કીર્તિધર તથા સુકોશલ આવ્યા ને શાંતિથી આત્માના ધ્યાનમાં બેઠા. વીતરાગી શાંતિનો મહા આનંદ તેઓ લેતા હતા.
વાઘણે તે બન્નેને દેખ્યા... દેખતાંવેંત દૂરભાવથી ગર્જના કરી. ને સુકોશલ મુનિ ઉપર છલાંગ મારીને તેમને ખાઈ જવા લાગી...
કીર્તિધર મુનિરાજ તેમજ સુકોશલ મુનિરાજ બન્ને તો આત્માના ધ્યાનમાં છે તે વાઘણ સુકોશલ મુનિને ખાઈ રહી છે. તે મુનિ તો આત્મ-ધ્યાનમાં એવા લીન થયા છે કે શરીરમાં શું થાય છે–તેનું લક્ષ પણ નથી; આત્માનો અનુભવ કરતાં કરતાં તે જ વખતે તેમણે કેવળજ્ઞાન પ્રગટ કર્યું ને મોક્ષ પામ્યા!
ધન્ય તે રાજકુમારનું જીવન!
આ બાજુ, સુકોશલ મુનિના શરીરને ખાતા-ખાતા વાઘણની નજર તેમના હાથ ઉપર પડી... હાથમાં એક ચિહ્ન જોતાં જ તે ચકિત થઈ ગઈ. તેના મનમાં એમ થયું કે આવો હાથ મેં કયાંક જોયો છે! ... અને તરત જ તેને પૂર્વભવનું જાતિ-સ્મરણ જ્ઞાન થયું. અરે, આ તો મારો પુત્ર! હું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com