Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 46
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ : જૈનધર્મની વાર્તાઓ વૈરાગ્ય-જીવન જીવવાની ભાવના કરજો. તેમ જ વાઘણ જેવું હિંસકપ્રાણી પણ આત્મજ્ઞાન પામીને કેવી રીતે કલ્યાણ કરે છે–તે જાણીને તમેય પાપભાવ છોડજો ને આત્મજ્ઞાન કરજો. પહોળો રસ્તો [ સુંદર માર્ગ] બે મિત્રો વાત કરતા હતા એક અમેરિકન કહે–અમારે ત્યાં શહેરના રસ્તા એટલા પહોળા છે કે પૂર ઝડપે એક સાથે ચાર મોટર જાય ને ચાર મોટર આવે. જૈન કહે ભાઈ, અમારો મોક્ષપુરીનો રસ્તો તો એટલો પહોળો છે કે તેમાં અસાધારણ ઝડપે (મોટર કરતાંય અસંખ્યાતગણી ઝડપે ) એકસો આઠ જીવો એકસાથે ગમન કરી શકે. અમેરિકામાં તો મોટરના ઘણાય અકસ્માત થતા હશે, પણ અમારી આ અમરપુરીના માર્ગમાં કદી કોઈને અકસ્માત થતો નથી. - હા, એટલું ખરું કે આ માર્ગ માત્ર “વન વે” છે, તે માર્ગ મોક્ષમાં જવાય છે ખરું, પણ પાછા અવાતું નથી. ખરેખર, આવો માર્ગ તે જ સુંદર માર્ગ છે; તેનું નામ છે-મોક્ષમાર્ગ. (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85