________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૩૭ આત્મતત્ત્વ જ આનંદથી ભરેલું છે, તેની સાધના સિવાય બીજાં કોઈ શરણ નથી. આમ વૈરાગ્ય-ભરપૂર ધર્મોપદેશ આપ્યો.
ધર્મપિતા પાસેથી એ ઉપદેશ સાંભળીને રાજકુમાર સુકોશલનું ચિત્ત ઘણું તૃપ્ત થયું.. આવા અસાર સંસારથી તેનું મન ઊઠી ગયું.... ને શાંતચિત્તે વિનયપૂર્વક હાથ જોડીને પ્રાર્થના કરી: પ્રભો ! મને પણ જિનદીક્ષા આપીને આપના જેવો બનાવો! હું મોહનિદ્રામાં સૂતો હતો તેમાંથી આપે મને જગાડયો... આપ જે મોક્ષસામ્રાજ્યને સાધી રહ્યા છો... મને પણ તે મોક્ષસામ્રાજ્ય આપો! – આમ તે રાજકુમાર ત્યાં જ દીક્ષા લેવા તૈયાર થયો.
એવામાં ત્યાં રાજમાતા સહુદેવી, તેની ગર્ભવતી રાણી-વિચિત્રમાળા, તેમજ મંત્રી વગેરે આવી પહોંચ્યા.. તેમણે રાજકુમારને કહ્યું કે-કુંવરજી! તમે દીક્ષા ભલે લેજે.. પણ હુમણાં રોકાઈ જાવ. તમારા વશમાં એવો રીવાજ ચાલ્યો આવે છે કે પુત્ર મોટો થાય તેને રાજા સોંપીને પછી રાજા દીક્ષા લ્ય છે. માટે તમે પણ રાણીવિચિત્રમાળાનો બાળક મોટો થાય ત્યારે તેને રાજા સૌપીને પછી દીક્ષા લેજો....
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com