Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 39
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩૫ કુંવરનો પ્રશ્ન સાંભળતાં ધાવમાતાનું હૈયું એકદમ ભરાઈ આવ્યું ને રોતાં રોતાં તેણે કહ્યું: બેટા! એ મહાપુરુષ બીજું કોઈ નહિ-પણ તારા પિતા જ છે. તેઓ આ અયોધ્યા નગરીના મહારાજા કીર્તિધર પોતે છે ને સાધુ થયા છે. અરે, એક વખતના આ રાજ્યના સ્વામી, તેમના આ સેવકો તેમના જ રાજ્યમાં આજે તેમનો જ અનાદર કરી રહ્યા છે! આ અયોધ્યાનગરીના રાજમહેલમાં કદી કોઈ સાધુનો અનાદર નથી થયો; એને બદલે આજે, સાધુ થયેલા મહારાજાનો જ અનાદર રાજમાતા દ્વારા થઈ રહ્યો છે: રાજમાતા પોતાના સ્વામીને, અને સાધુને, મેલોધેલો ભિખારી જેવો કહીને તીરસ્કાર કરી રહી છે. ધાવમાતા વજ્રબાહુને કહે છેઃ બેટા, તું નાનો બાળક હતો ત્યારે જ વૈરાગ્ય પામીને તારા પિતા જૈનસાધુ થયા છે, ને તે સાધુમહાત્મા જ અત્યારે આ નગરીમાં પધારી રહ્યા છે... આહાર માટે પધારેલા મુનિ આપણા આંગણેથી કદી પાછા ગયા નથી. અને પુત્રને રાજ્ય સોંપીને દીક્ષા લઈને આત્મકલ્યાણ કરે એવી પરંપરા તો અસંખ્ય પેઢીથી આપણા વંશમાં ચાલી આવી છે; અને તે પદ્ધત્તિઅનુસાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85