Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 38
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ : જૈનધર્મની વાર્તાઓ ધ્રાસકો પડ્યો કે અરે, તેમના વૈરાગ્ય–ઉપદેશથી મારો પુત્ર પણ કયાંક સંસાર છોડીને ચાલ્યો જશે !' આથી રાણી સહદેવીએ સેવકોને આજ્ઞા કરી કે આ કોઈ મેલો ઘેલો અજાણ્યો નગ્નપુરુષ નગરીમાં આવે છે, તે કયાંક મારા સુકોશલ પુત્રને ભોળવીને લઈ જશે ! માટે તેને નગરમાં આવવા ન દેશો. વળી નગરીમાં એવા બીજા નગ્ન સાધુઓ આવે તો તેમને પણ આવવા ન દેશો; જેથી મારો પુત્ર તેને દેખવા ન પામે! પંદર દિ' ના નાના બાળકને છોડીને ચાલ્યા જતાં તેમને દયા પણ ન આવી! –આમ સહદેવીએ, સાધુ થયેલા પોતાના સ્વામી પ્રત્યે આવા અનાદરવચન કહીને તીરસ્કાર કર્યો.. “અરેરે ! આ દુષ્ટ રાણી એક વખતના પોતાના સ્વામીનું અપમાન કરે છે!' –એ દેખીને ધાવમાતાની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં! એ વખતે, સુકોશલ રાજકુમારનું કોમળ હૃદય ઉપરનું દશ્ય જોઈ ન શકયું તેણે તરત ધાવમાતાને પૂછયું-મા, આ બધું શું છે? પેલા મહાપુરુષ કોણ છે? તેને નગરીમાં કેમ નથી આવવા દેતા? ને તેને દેખીને તું કેમ રડે છે !! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85