Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨ : જૈનધર્મની વાર્તાઓ મુનિ થયા. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ મોક્ષમાર્ગને સાધવા લાગ્યા. જયસેન અને મહારૂત એ બન્ને મુનિઓ સમાધિમરણપૂર્વક દેહ છોડીને સોળમા અશ્રુત સ્વર્ગમાં દેવ થયા. તેઓ એક બીજાના મિત્ર હતા, ને જ્ઞાન વૈરાગ્યની ચર્ચા કરતા હતા. એક વાર તેમણે એવી પ્રતિજ્ઞા કરી કે આપણા બેમાંથી જે પહેલાં પૃથ્વી પર અવતરીને મનુષ્ય થાય, તેને બીજો દેવ પ્રતિબોધ પમાડે, એટલે કે તેને સંસારનું સ્વરૂપ સમજાવીને વૈરાગ્ય જગાડે અને દીક્ષા લેવાની પ્રેરણા કરે. આ રીતે ધર્મમાં મદદ કરવા માટે બન્ને મિત્રોએ એકબીજા સાથે પ્રતિજ્ઞા કરી. ખરું જ છે-જીવનો સાચો મિત્ર તે જ છે કે જે ધર્મમાં મદદ કરે. - હવે તે બેમાંથી પ્રથમ જયસેન રાજાનો જીવ બાવીસ સાગરોપમ સુધી દેવલોકનાં સુખો ભોગવીને, આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યલોકમાં અવતર્યો. જ્યાં પહેલા બે તીર્થકરો તેમજ ભરત ચક્રવર્તી અવતરી ચૂક્યા હતા, એવી અયોધ્યા નગરીમાં તે અવતર્યો તેનું નામ સગરકુમાર. તે બીજો ચક્રવર્તી થયો અને છ ખંડ ઉપર રાજ્ય કરવા લાગ્યો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 85