________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ : જૈનધર્મની વાર્તાઓ ઊતર્યો ને વિવાહના વસ્ત્રાભૂષણ ઊતારીને, વૈરાગ્યપૂર્વક મુનિરાજ તરફ જવા લાગ્યો.
મનોદયાએ કહ્યું: અરે સ્વામી! આ શું કરો છો?
ઉદયસુંદરે પણ આંસુભીની આંખે કહ્યું: અરે કુંવરજી! મેં તો હસતાં-હુસતાં મશ્કરીમાં કહ્યું હતું, તેમાં તમે આ શું કરી રહ્યા છો? હાસ્ય કરવામાં મારી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો ! તમે દીક્ષા ન લ્યો...
ત્યારે વૈરાગી વજકુમાર મધુર શબ્દોથી કહેવા લાગ્યાઃ હે ઉદયસુંદર! તમે તો મારા કલ્યાણનું કારણ બન્યા છો. મને જગાડીને તમે તો ઉપકાર જ કર્યો છે. માટે દુઃખ છોડો. હું સંસારના કૂવામાં પડતો હતો તેમાંથી તમે તો મને બચાવ્યો. તમે મારા સાચા મિત્ર છો. ને તમે પણ આ જ માર્ગે મારી સાથે ચાલો.
વૈરાગી વજકુમાર બોલી રહ્યા છે. જીવ જન્મમરણ કરતો-કરતો અનાદિથી સંસારમાં ભમી રહ્યો છે, સ્વર્ગના દિવ્ય વિષયોમાં પણ તેને ક્યાંય સુખ મળ્યું નથી, તો બીજા વિષયોની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com