Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 26
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ : જૈનધર્મની વાર્તાઓ ઊતર્યો ને વિવાહના વસ્ત્રાભૂષણ ઊતારીને, વૈરાગ્યપૂર્વક મુનિરાજ તરફ જવા લાગ્યો. મનોદયાએ કહ્યું: અરે સ્વામી! આ શું કરો છો? ઉદયસુંદરે પણ આંસુભીની આંખે કહ્યું: અરે કુંવરજી! મેં તો હસતાં-હુસતાં મશ્કરીમાં કહ્યું હતું, તેમાં તમે આ શું કરી રહ્યા છો? હાસ્ય કરવામાં મારી ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો ! તમે દીક્ષા ન લ્યો... ત્યારે વૈરાગી વજકુમાર મધુર શબ્દોથી કહેવા લાગ્યાઃ હે ઉદયસુંદર! તમે તો મારા કલ્યાણનું કારણ બન્યા છો. મને જગાડીને તમે તો ઉપકાર જ કર્યો છે. માટે દુઃખ છોડો. હું સંસારના કૂવામાં પડતો હતો તેમાંથી તમે તો મને બચાવ્યો. તમે મારા સાચા મિત્ર છો. ને તમે પણ આ જ માર્ગે મારી સાથે ચાલો. વૈરાગી વજકુમાર બોલી રહ્યા છે. જીવ જન્મમરણ કરતો-કરતો અનાદિથી સંસારમાં ભમી રહ્યો છે, સ્વર્ગના દિવ્ય વિષયોમાં પણ તેને ક્યાંય સુખ મળ્યું નથી, તો બીજા વિષયોની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85