Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ : જૈનધર્મની વાર્તાઓ મુનિભાવનામાં એવા લીન થઈ ગયા છે કે આસપાસ ઉદયસુંદર ને મનોદયા ઊભાં છે તેનો ખ્યાલ નથી રહ્યો. બસ! એકીટસે મુનિ તરફ જોઈ જ રહ્યા છે... ને તેની ભાવના ભાવી રહ્યા છે. આ દેખીને, તેના સાળા ઉદયસુંદરે હાસ્યપૂર્વક મશ્કરી કરતાં કહ્યું-અરે કુંવરજી! આમ નિશ્ચલ નયને મુનિ તરફ શું જોઈ રહ્યા છો? –કયાંક તમે પણ એવી મુનિદીક્ષા ધારણ ન કરી લેતા! વજકુમારને તો “ભાવતું' તું ને વૈદે બતાવ્યું !' તેણે તરત જ કહ્યું-વાહ ભાઈ ! તમે બહુ મજાની વાત કરી; મારા મનમાં જે ભાવ હતા તે જ તમે પ્રગટ કર્યા - હવે તમારા ભાવ શું છે–તે પણ કહો! ઉદયસુંદરે તો તે વાતને મશ્કરી સમજીને કહ્યું: કુંવરજી! જેવા તમારા ભાવ, તેવા જ મારા ભાવ! જો તમે મુનિ થતા હો તો હું પણ તમારી સાથે મુનિ થઈ જવા તૈયાર છું! –જો–જો, તમે ફરી ન જતા !! (ઉદયસુંદર તો મનમાં હજી એમ જ સમજે છે કે વજકુમારને તો મનોદયા પ્રત્યે તીવ્ર રાગ છે, એ શું દીક્ષા લેવાનો હતો! એટલે તેણે તો હાસ્યમાં ને હાસ્યમાં ઉપર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85