________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ : જૈનધર્મની વાર્તાઓ આભૂષણ દૂર કરી વૈરાગ્યપૂર્વક આર્થિકાવ્રત ધારણ કર્યા સાથે અનેક રાણીઓ પણ અજિંકા થઈ, ને એકમાત્ર સફેદ સાડીથી ઢંકાયેલા દેહમાં ચૈતન્યની સાધના વડે શોભવા લાગી. રત્નમણિનાં આભૂષણ કરતાં શુદ્ધોપયોગનાં આભૂષણથી આત્મા વધારે શોભી ઊઠે છે; તે રીતે વજકુમાર વગેરે સૌ મુનિદશામાં શુદ્ધોપયોગ વડે શોભવા લાગ્યા.
ધન્ય તે રાજપુત્રોને!
ધન્ય તે રાજરાણીઓને ! જ્યારે વજકુમાર વગેરેની દીક્ષાના સમાચાર અયોધ્યા પહોંચ્યા ત્યારે તેના પિતા સુરેન્દ્રમન્યુ, તથા દાદા વિજય મહારાજા પણ સંસારથી વિરક્ત થયાઃ અરે, આવો નવપરિણીત યુવાન-પૌત્ર સંસાર છોડીને મુનિ થયો; ને હું બૂટો થવા છતાં હજી સંસારના વિષયોને નથી છોડતો! આ રાજકુમારે તો સંસાર-ભોગોને તૃણવત સમજીને છોડી દીધા ને મોક્ષને અર્થે શાંતભાવમાં ચિત્તને સ્થિર કર્યું. ઉપરથી સુંદર લાગતા વિષયોનું ફળ બહુ કડવું છે. યુવાન દશામાં દેહનું જે રૂપ હતું તે પણ વૃદ્ધાવસ્થામાં કુરુપ થઈ ગયું. દેહુ અને વિષયો ક્ષણભંગુર છે; આમ જાણવા છતાં હું વિષય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com