________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈનધર્મની વાર્તાઓ : ૧૫ મિત્રના હિત માટે આવી માયા કરવી પડી, તે બદલ ક્ષમા માંગી. મુનિઓએ તેને સાંત્વન આપીને કહ્યું કે તેમાં તમારો શો અપરાધ છે? કોઈપણ પ્રકારે ધર્મમાં જે મદદ કરે તે તો પરમ હિતસ્વી મિત્ર છે. તમે તો અમારા મહાન હિતનું કામ કર્યું છે.
મિત્રને મોક્ષમાર્ગની પ્રેરણા આપવાનું પોતાનું કાર્ય સિદ્ધ થયું અને તેની સાથે ૬૦ હજાર રાજકુમારો પણ મુનિ થયા. તેથી પ્રસન્નથઈને તે દેવ પોતાના સ્વર્ગમાં ગયો.
સગર ચક્રવર્તી તથા ૬૦ હજાર રાજપુત્રો, એ બધાય મુનિવરો આત્માના જ્ઞાન-ધ્યાનપૂર્વક વિહાર કરતા-કરતા અંતે સન્મેદશિખર પર આવ્યા અને શુક્લધ્યાન વડ કેવળજ્ઞાન પ્રગટ કરી મોક્ષપદને પામ્યા. તેમને નમસ્કાર હો.
શાસ્ત્રકાર કહે છે કે જગતમાં જીવને ધર્મની પ્રેરણા આપનારા મિત્ર સમાન હિતકર બીજાં કોઈ નથી. મિત્ર હો તો આવા હો કે જે ધર્મની પ્રેરણા આપે.
[ મહાપુરાણઃ સર્ગ ૪૮ ઉપરથી.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com