Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 20
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ : જૈનધર્મની વાર્તાઓ [૪૧]. ૨૬ રાજકુમારોનો વૈરાગ્ય [મશ્કરી-કે-સત્ય?] યુવાન બંધુઓ, આ આપણા ધર્મના એક યુવાન રાજકુમારની કથા છે-કે જેણે પરણીને તરત વૈરાગ્યથી હસતાંહસતાં સંસારને છોડી દીધો. કયાં આજના સિનેમાના કુસંસ્કારો ! ને કયાં આપણા પુરાણોમાં ભરેલા આપણા મહાપુરુષોના ઉત્તમ વૈરાગ્ય-સંસ્કારો ! યુવાન રાજપુત્ર વજબાહુ અને તેની સાથે ર૬ રાજપુત્રોના વૈરાગ્યની આ ઉત્તમ કથા વાંચ્યા પછી પણ શું તમે સિનેમા જવાનું નહીં છોડી દો? અને વૈરાગ્યભાવનાથી ધર્મના અભ્યાસમાં નહીં લાગી જાઓ? જૈન-ધર્માત્માઓના અંતરમાં સંસાર પ્રત્યે કેટલી નિર્લેપતા હોય છે, તથા વૈરાગ્યનો કેવો પ્રવાહ તેમના અંતરમાં નિરંતર વહેતો હોય છે, તે દેખાડનારા વૈરાગ્યપ્રસંગો પુરાણોમાં ઠેરઠેર ભર્યા છે. સાંભળો, ભરયુવાન વયમાં તાજી જ પરણેલી મનોદયા રાણી વગેરેને ક્ષણમાં છોડીને વજબાહુ રાજકુમારે મુનિદીક્ષા લીધી; સાથે ર૬ રાજકુમારોએ અને મનોદયા રાણીએ પણ દીક્ષા લીધી; તેની આ વૈરાગ્યકથા વાંચીને હે યુવાનો! તમે પણ બહાદુર થઈ જાઓ, ને તમારા જીવનને વૈરાગ્યમય ધર્મસંસ્કારોથી શોભાવો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85