________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ : જૈનધર્મની વાર્તાઓ
[૪૧]. ૨૬ રાજકુમારોનો વૈરાગ્ય
[મશ્કરી-કે-સત્ય?] યુવાન બંધુઓ, આ આપણા ધર્મના એક યુવાન રાજકુમારની કથા છે-કે જેણે પરણીને તરત વૈરાગ્યથી હસતાંહસતાં સંસારને છોડી દીધો. કયાં આજના સિનેમાના કુસંસ્કારો ! ને કયાં આપણા પુરાણોમાં ભરેલા આપણા મહાપુરુષોના ઉત્તમ વૈરાગ્ય-સંસ્કારો ! યુવાન રાજપુત્ર વજબાહુ અને તેની સાથે ર૬ રાજપુત્રોના વૈરાગ્યની આ ઉત્તમ કથા વાંચ્યા પછી પણ શું તમે સિનેમા જવાનું નહીં છોડી દો? અને વૈરાગ્યભાવનાથી ધર્મના અભ્યાસમાં નહીં લાગી જાઓ?
જૈન-ધર્માત્માઓના અંતરમાં સંસાર પ્રત્યે કેટલી નિર્લેપતા હોય છે, તથા વૈરાગ્યનો કેવો પ્રવાહ તેમના અંતરમાં નિરંતર વહેતો હોય છે, તે દેખાડનારા વૈરાગ્યપ્રસંગો પુરાણોમાં ઠેરઠેર ભર્યા છે. સાંભળો, ભરયુવાન વયમાં તાજી જ પરણેલી મનોદયા રાણી વગેરેને ક્ષણમાં છોડીને વજબાહુ રાજકુમારે મુનિદીક્ષા લીધી; સાથે ર૬ રાજકુમારોએ અને મનોદયા રાણીએ પણ દીક્ષા લીધી; તેની આ વૈરાગ્યકથા વાંચીને હે યુવાનો! તમે પણ બહાદુર થઈ જાઓ, ને તમારા જીવનને વૈરાગ્યમય ધર્મસંસ્કારોથી શોભાવો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com