Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 15
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૧૧ જો તમે જીતવા ચાહતા હો તો શીઘ્ર સિદ્ધપદને સાધો. આ જીર્ણ-શીર્ણ શરીરનો મોહ કે પુત્રનો શોક છોડીને મોક્ષની પ્રાપ્તિ માટે તત્પર થાઓ ને જિનદીક્ષા ધારણ કરો. ઘરમાં પડ્યા રહીને બુઢા થવા કરતાં દીક્ષા લઈને મોક્ષનું સાધન કરો. એ પ્રમાણે સગર રાજાએ વૈરાગ્યનો ઘણો ઉપદેશ આપ્યો, ત્યારે તે બ્રાહ્મણે (એટલે કે પૂર્વભવના તેના ભાઈબંધ એવા મણિકેતુદેવે ) કહ્યું: હે મહારાજ! તમે કહો છો તે વાત જો ખરેખર સાચી હોય તો મારી પણ એક વાત સાંભળો. જો યમરાજથી બળવાન કોઈ નથી એટલે કે મૃત્યુથી કોઈ બચી શકતું નથી–એમ તમે કહો છો, તો હું આપને એક ગંભીર સમાચાર કહું તે સાંભળીને તમે પણ ભયભીત ન થશો; તમે પણ સંસારથી વૈરાગ્ય લાવી મોક્ષને સાધવા તત્પર થજો. સગર-ચક્રવર્તીએ આશ્ચર્યથી કહ્યું: ભલે મહારાજ! કહો, એવા તે શું સમાચાર છે? બ્રાહ્મણરૂપધારી મિત્રે કહ્યું: “હે રાજન! સાંભળો! તમારા ૬૦ હજાર પુત્રો કેલાસ ગયેલા તેઓ બધાય મૃત્યુ પામ્યા છે; તેમને ભયંકર સર્પ કરડતાં, એક પણ બચ્યો નથી. એક સાથે ૬૦ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85