Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮ : જૈનધર્મની વાર્તાઓ શુદ્ધ ભાવનાવાળા તે રાજપુત્રોએ ફરીને પણ આગ્રહ કર્યો કે હું પિતાજી! અમને ધર્મની સેવાનું કોઈ કાર્ય સોંપો; જો તમે અમને કોઈ કાર્ય નહીં સોંપો તો અમે ભોજન નહીં કરીએ. બધા રાજ પુત્રો ચરમશરીરી ધર્માત્મા હતા; તેમની આ માંગણી એવો આદર્શ રજુ કરે છે કે યુવાનોએ ધર્મ-કાર્યોમાં ઉત્સાહથી ભાગ લેવો જોઈએ. ઉત્સાહી પુત્રોનો આગ્રહ દેખીને રાજાને ચિંતા થઈ કે આને કયું કામ સોંપવું? વિચારતાં તેને યાદ આવ્યું કે-હા, મારા પહેલાં થયેલા ભરત ચક્રવર્તીએ કૈલાસ પર્વત ઉપર અતિ સુંદર જિનમંદિરો બનાવ્યા છે અને તેમાં ત્રણે ચોવીસીના તીર્થકરોની રત્નમણિની અતિ સુંદર પ્રતિમા સ્થાપી છે; તેની રક્ષા માટે ચારે બાજુ ખાઈ ખોદીને તેને ગંગાનદીના પાણીથી ભરી દીધી હોય તો તે મંદિરોની રક્ષા થાય. આમ વિચારીને રાજાએ પુત્રોને તે કામ કરવાનું સોંપ્યું. પિતાની આજ્ઞા માથે ચડાવીને તે રાજપુત્રો તે કામ કરવા કેલાસપર્વત પર ગયા ત્યાં જઈને અત્યંત ભક્તિપૂર્વક તે જિનબિંબોનાં દર્શન કર્યા, પૂજા કરી. અહીં ! આવા અદ્દભુત રત્નમય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85